સ્વરોજગારી માટે કાપડની દુકાન બનાવવા ₹ 1 લાખ ની સહાય આપશે

સ્વરોજગારી યોજના દ્વારા આદિજાતિના લોકોની આર્થીક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના લોકોને સ્વરોજગારી યોજના હેઠળ કાપડની દુકાન ના હેતુ માટે ₹ 100,000 ની લોન આપવાથી જીવન ધોરણ ઉંચું લાવી શકે અને પગભર થઇ શકે તેના માટે ગુજરાત સરકારે આ યોજના શરૂ કરી છે.

સ્વરોજગારી યોજનાનો લાભ કોણ લઈ શકે?

સ્વરોજગારી યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ પાત્રતા ધરાવતા હોવા જોઈએ:

  • અરજદાર આદિજાતિનો હોવા અંગેનો દાખલો/પ્રમાણપત્ર મદદનીશ કમીશ્નરશ્રી તકેદારીનું રજુ કરવાનું રહેશે.
  • લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ. (ચૂંટણીકાર્ડની તેમજ આધારકાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે)
  • લાભાર્થીએ જે કાપડની દુકાનના હેતુ માટે (ધંધો/રોજગાર) ધીરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી અને આ અંગે તાલીમ લીધી હોવી જોઇશે. આ અંગેનો કાપડની દુકાનમાં અગર મીલમાં કામ કર્યાનો અનુભવ હોવો જોઇશે અને તે અંગેના તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • અરજદારની કૌટુમ્બિક વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૫૦,૦૦૦ થી વધતી ન હોય તેવાને આ યોજનાનો લાભ મળશે.

સ્વરોજગારી યોજના માં લાભાર્થીને કેટલો લાભ મળશે?

  • આ યોજનામાં લાભાર્થીને રૂપિયા એક લાખ ની મર્યાદામાં લોન આપવામાં આવે છે.

લાભાર્થી ફાળો

  • આ યોજનામાં લાભાર્થી ફાળો કુલ ધિરાણના ૧૦ ટકા પ્રમાણે ભરવાનો રહે છે.

સ્વરોજગારી યોજના માં વ્યાજનો દર કેટલો છે?

  • સ્વરોજગારી યોજના માં વાર્ષિક ૪ ટકા તેમજ વિલંબિત ચુકવણી માટે વધારાના ૨ ટકા દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે

સ્વરોજગારી યોજના માં લોન પરત કરવાનો સમય ગાળો કેટલો આપવામાં આવે છે?

  • ૨૦ ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત ભરપાઇ કરવાની રહેશે.
  • લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઇ કરવાની અરજદારને છૂટ રહેશે.

સ્વરોજગારી યોજના માં અરજી ફોર્મ કોના દ્વારા મોકલવી?

  • આદિજાતિના વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની રહેશે.
  • જયારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ ધ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે.

સ્વરોજગારી યોજના નું અરજી ફોર્મ ક્યાંથી મેળવવું?

  • જયારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ ધ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે.
  • જે તે આદિજાતિ વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની કચેરી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબ સાઇટ https:// adijatinigam.gov.in પરથી મેળવી શકાશે.

ઉપર જણાવેલ માહિતી અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવવું.

Leave a Comment